મોરબી: મોરબીનાં ટીમડી પાટીયા નજીક નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટે બે અમદાવાદીઓએ ખોટી ઓળખ આપી જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ને આપેલ કુલ રૂ.૭૫ લાખ પરત ન આપતા જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીના માલીકે મીકિમી ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નજરબાગ રોડ પર અનુપમ કો.ઓપરેટીવ સોસાયટીમાં ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા અનીલભાઈ જમનાદાસ ઠક્કર (ઉ.વ.૫૪) એ આરોપી મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના ડાયરેક્ટર પંકજકુમાર ફકિરચંદ સોલંકી અને પ્રેમસાગર ફકિરચંદ સોલંકી રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા જુન -૨૦૧૬થી સને ૨૦૨૦ દરમ્યાન ટીંબડી ગામના પાટીયા નજીક નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટે આવી આરોપી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી ના ડાયરેકટર આરોપી પંકજકુમાર તથા આરોપી પ્રેમસાગર નામ વાળાઓએ ગુન્હાહિત કાવતરૂ રચી આરોપી પંકજકુમારે ફરીયાદીને તેઓ રાજપુત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ,પરીચય આપી પોતે વી.વી.આઇ.પીના અંગત મીત્ર અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના મહત્વના કર્મચારી અને વહિવટ કરતા હોવાનો સ્વાંગ રચી એક વેપારી તરીકે ફરીયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદે વિશ્વાસઘાત કરીને ફરીયાદીની જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ને આપેલ કુલ રૂ.૭૫,૦૦,૦૦૦/- પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસધાત કર્યો હતો. આ બનાવ અંગે અનીલભાઈએ છેતરપિંડી કરનાર મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના ડાયરેક્ટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૧૨૦(બી),૪૦૬,૪૧૯,૪૨૦ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...