ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં બહુમતીના જોરે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તેમજ નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે પાલિકા ના આવા વ્યવહારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા તાળાબંધી અને અલ્લાબોલ જેવા કાર્યક્રમ કરવામાં આવશે.
થોડા સમય પહેલા નગર પાલિકા પ્રમુખના પતિ પર ભાજપના કાઉન્સિલર ના પતિ એ દરેક કામ માટે 6% લેવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા અને તેનો વિડીયો બહાર આવ્યો હતો. ત્યારે જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ના પ્રમુખ અને આવા પૃષ્ઠ સદસ્યો નું રાજીનામું લઈ અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમજ જો આ કાર્યવાહી નહી કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તારીખ ૨૮/૦૬/૨૦૨૨ મંગળવારના 11:00 મોરબી નગરપાલિકા ને તાળાબંધી કરી હલ્લાબોલ કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં જોડાશે.
એવું મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજુભાઈ કાવર એ મીડિયાના માધ્યમો ને પ્રેસનોટ માધ્યમ થી જણાવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...