વાવાઝોડાની સ્થિતિમાં અસરગ્રસ્તો માટે શરૂ કરાયું રસોડું
જય અંબે સેવા ગ્રુપ દરેક આપદાની સ્થિતિમાં માનવસેવા માટે તૈયાર હોય છે અગાઉ પણ મોરબી પર જયારે આફત આવી ત્યારે સંસ્થાએ વિવિધ સેવાકીય કામગીરી કરી છે
તો હાલ વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને સ્થળાંતર કરેલ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે તાત્કાલિક ધોરણે રસોડું શરુ કરી દેવામાં આવ્યું છે અને સેવા કેન્દ્ર ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે મોરબીના શનાળા ગામ પાસે આવેલ નાઈટ લાઈફ કાફે સામે ઉત્તમ કેટરર્સ ગોડાઉન ખાતે રસોડું શરુ કરાયું છે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...