વિશ્વઉમિયાધામ મંદિરના નિર્માણ અર્થે દાતાઓએ 7 કરોડનું દાન જાહેર કર્યું
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના સહયોગ અર્થે અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસમાં પરમ પિતા શિવ અને મા ઉમિયાની આરધાન કરવી એ શ્રેષ્ઠતમ પુણ્યની વાત છે ત્યારે પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી શિવપુરાણનું રસપાન કરાયું છે. જેમાં દરરોજ 2500થી વધુ મા ઉમિયાના ભક્તોએ લાભ લીધો હતો. મહત્વનું છે કે શિવમહાપુરાણ કથામાં પાટીદાર સહિત તમામ સમાજના ભક્તોએ લગભગ 7 કરોડથી વધુના દાનની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે શિવમહાપુરાણ કથા નિમિતે અનેક યુવાનોએ વ્યસનમુક્તિના સંકલ્પ લીધા હતા.
લવજેહાદ અટકાવવા દરેક ઘરમાં ઘરસભા જરૂરી છેઃ આર.પી.પટેલ
વિશ્વઉમિયાધામ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે દિવસેને દિવસે વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ ઘટાડવા માટે દરેક ઘરમાં ઘરસભા થવી જોઈએ. વધુમાં આર.પી.પટેલે યુવાનમાં નવા ઉર્જા અને સંગઠન શક્તિ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની જાહેરાત કરી હતી. તેઓ જણાવે છે કે વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડ ન માત્ર ગુજરાત પણ અમેરિકા, બ્રિટન, આફ્રિકા અને કેનેડા સહિત વિશ્વના અનેક દેશોમાં રમાશે. વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની ઓપનીંગ શેરેમની 5 જાન્યુઆરી 2024ના રોજ યોજાશે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...