મોરબી:મોરબીનાં લાતીપ્લોટ મેઈનરોડ પર ભુગર્ભ ગટરના દુર્ગંધ મારતાં ગંદા પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી
ઉલટું વરસાદી માહોલ માં સમસ્યાઓ ઘટવાને બદલે વધતાં સ્થાનિક લોકો સહિત રોડ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ રોડ પર જીઇબીની લાઈટ બિલ ભરવાની ઓફિસ આવેલી હોય અહી લાઈટ બિલ ભરવા માટે આવનારા લોકોને ઓફિસ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે
તંત્ર દ્વારા વહેલી તકે લાતીપ્લોટ મેઈનરોડ પર સતત વહેતા ગંદા પાણીનો કાયમી ઉકેલ લાવી તંત્ર વ્હેલી તકે લોકોને પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવે તેવી લોક માગણી ઉઠી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...