ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂબંધી હોય છતાં પણ લોકો કેફી પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે તેમજ શેરીએ ગલીએ દારૂનું વેચાણ થતું હોય અને ઘણીવાર તો રસ્તા પર જ પીધેલી હાલતમાં ગોથા મારતા દારૂડિયાઓ જોવા મળે છે.
આવી જ રીતે ગોથા મારતા બે ઇસમો આજ રોજ રાત્રિ નાં સમયએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નશાની હાલતમાં બે ઈસમો ઘૂસી આવ્યા હતા. પી.એસ.ઓ ની ચેમ્બરમાં આવીને અનાબ સનાબ બકતા હતા. ત્યારે પી.એસ ઓ. દ્વારા તેમને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા પછી પંચને બોલાવી તેમનું નામ ઠામ પૂછતા તેઓ વજેપર શેરી નંબર 14 માં રહેતા બન્ને ભાઈઓ (૧) ભાવેશભાઈ હીરાભાઈ સાવરીયા અને (૨) દિનેશભાઈ હીરાભાઇ સાવરીયા હોય ત્યારે પોલીસ દ્વારા આરોપી (૧) ની પ્રોહિબિસન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ આરોપી (૨) ની અલગ થી ફરિયાદ લઈ ને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...