મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ હોય જે આરોપીને મોરબી પેરોલ ફ્લો સ્કવોડ,અને મોરબી એલસીબીએ ઝડપી પાડેલ છે.
પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સમગ્ર રાજયમાં ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ મોરબી જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડની ટીમોને મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપી જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા સુચના કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીનાઓ સાથે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા/જેલ ફરારી આરોપીને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના આઇપીસી કલમ-૩૦૨ મુજબના ગુનાના કામના આરોપી સંદિપભાઇ ઉર્ફે લાલો રમણીકભાઇ ડોડીયા જાતે રજપુત ઉવ. ૨૮ રહે. મોરબી વિધ્યુતનગર દસ ઓરડીમાં તાજી.મોરબી વાળાને નામદાર સેસન્સ કોર્ટ, મોરબીનાઓએ તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ આજીવન કેદની સજા કરેલ હોય જે આરોપી પાકા કામના કેદી નં- ૪૭૩૨૮ તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય જે પાકા કામના કેદીએ નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે દિન-૧૦ ના વચગાળાના જામીન મેળવી મુકત થયેલ જે આરોપીને તા. ૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી વિધ્યુતનગર ખાતે તેના રહેણાંક મકાન ખાતે આવેલ હોવાની હકિકત આધારે તેના રહેણાંક મકાન ખાતેથી પકડી પાડી કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલવા તજવીજ કરેલ છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...