મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસનાં અનુસંધાને “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિની ઓને અંધશ્રદ્ધા જાગૃતિ તેમજ રોકેટ વિજ્ઞાન જેમાં વિધાર્થિની ઓને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા મટીરીયલ માંથી માર્ગદર્શન પ્રમાણે જાતે રોકેટ બનાવ્યા અને પોતાની જાતે રોકેટ લોન્ચ કર્યા હતા. “શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબી” ખાતે રોકેટ સાયન્સ તથા અંધશ્રદ્ધા જાગૃતિ વિજ્ઞાન પ્રોજેક્ટની રજુઆત દિપેનભટ્ટ તરફથી કરવામાં આવ્યો હતો.
આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસે શ્રીમતી એમ.પી શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સોસાયટી ટ્રસ્ટીઓ, પ્રદીપભાઈ રજનીશભાઈ તેમજ દેવાંગ ભાઈ તથા આચાર્યા નિમાવત મેડમ, ઉષાબેન જાદવ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારાં પૂર્ણ સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેમ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...