મોરબી એલસીબી પર ટંકારા નજીક આરોપીઓ એ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
ત્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના એ ડિવિઝન, બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન આમ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાના આરોપીઓ ટંકારા નજીક આવેલ હોટલ પર આવ્યા હોઈ તેવી બાતમી એલસીબીને મળી હોઈ ત્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી.
ત્યારે એલસીબી દ્વારા બાતમીના આધારે ત્યાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં આરોપી (૧) નવઘણ મોહનભાઈ બાંભવા અને (૨) મચ્છલાભાઇ ઉર્ફે લાલો પરબતભાઇ વરું બંને મળી આવ્યા હતા પરંતુ પોલીસની ટીમ ત્યાં આરોપીઓની અટકાયત કરવા પહોંચી ત્યારે આરોપીઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી ધક્કામુક્કી કરવામાં આવી હતી. બાદ નવઘણભાઈ બાંભવાએ પોલીસ જવાન પર લાકડી વડે માથાના ભાગે ડાબી બાજું હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસ દ્વારા ભોગ બનનાર પોલીસ વિપુલભાઇ બાલાસરા એ ટંકારા પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે ટંકારા પોલીસ દ્વારા ફરિયાદ મુજબ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...