મોરબી : મોરબીમાં ક્લાયમેન્ટ ચેન્જને કારણે વાયરલ ઇન્ફેક્શનજન્ય બીમારીઓ વધી રહી છે. આ બીમારીમાં ઘણા બધા લોકો સપડાયા છે. ત્યારે મોરબી શહેરમાં રખડતું ભટકતું જીવન ફૂટપાથ ઉપર જ પસાર કરતા બાળકો સહિત તમામ નિરાધારો પણ આવી બીમારીનો ભોગ ન બને તે માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની વ્હારે આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન ચલાવી તમામ નિરાધારોની મેડીકલ તપાસણી કરી જરૂર જણાય એની સ્થળ પર સારવાર કરી દવા આપીને તેમને સ્વસ્થ રાખવાનું ઉમદા કાર્ય કર્યું છે.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલાથી મિશ્ર ઋતુની અસર થઈ રહી છે. આ ક્લાયમેન્ટ ચેન્જને કારણે ઘણા લોકો શરદી, તાવ ઉધરસ, ઝાડા ઉલટી જેવી બીમારીઓના ભોગ બન્યા છે. જો કે આવી બીમારીઓનો ભોગ બનેલા લોકોનો પરિવાર હોય તેથી તેમની કેર કરવામાં કોઈ વાંધો આવતો નથી. પણ જેનું આ દુનિયામાં કોઈ પણ નથી તેવા નિરાધાર બાળકો સહિતના અનેક લોકો ફૂટપાથ ઉપર જ જીવન પસાર કરતા હોય અને આવા લોકો ગાંડકીથી એકદમ નજીક હોવાથી ઝડપથી બીમારીઓનો શીકાર બને છે. તેથી શહેરમાં ઝૂંપટપટ્ટીમાં રહેતા તેમજ શહેરના રોડ રસ્તા ઉપર રખડતું ભટકતું જીવન ગુજારતા બાળકો, મહિલાઓ સહિત તમામ નિરાધારો બીમારીનો શિકાર બને તો તેમનું કોણ ? આથી આવા લોકોને સ્વસ્થ રાખવા માટે યંગ ઇન્ડિયન ગ્રુપ ડોક્ટરો, સ્વંય સેવકોને સાથે રાખી મદદે આવ્યું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન ચલાવી શહેરભરમાં ફરી ફરીને આવા બાળકો, મહિલાઓ, અસ્થિર મગજ ધરાવતા વ્યક્તિઓ તેમજ વૃદ્ધોને શોધી કાઢી ડોક્ટરોની ખાસ ટીમ અને તબીબી સાધન સુવિધાઓ સાથે મેડિકલ તપાસણી કરી હતી અને જરૂર જણાય તેને જે તે સ્થળ પર જ સારવાર કરાવી તેમજ દવાઓ આપીને ક્લાયમેન્ટ ચેન્જ સામે નિરાધારોને એકદમ તંદુરસ્ત રાખવાની સરાહનીય કામગીરી કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...