આજરોજ ગુજરાત ના પનોતા પુત્ર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ હેઠળ અને પ્રદેશ ના મહીલા મોરચા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ના મીતાણા ગામે મીલેટસ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ
જે કાર્યક્રમની અંદર મીલેટસ શુ છે કેટલા પ્રકારના મીલેટસ હોય કેવા પ્રકાર ના મીલેટસ ખાવા જોઈએ અને કયા પ્રકાર ના મીલેટસ નો ખાવા જોઈએ કયા પ્રકાર ના મીલેટસ ખાવાથી શરીરમાં શું શું ફાયદા થાય છે અને કયા પ્રકાર ના મીલેટસ ખાવાથી શરીર મા શુ શુ બીમારી થઈ શકે એ વિશે જાણકારી આપેલ
આ તકે ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા,મહામંત્રી જયશ્રીબેન સીનોજીયા,કોષાધ્યક્ષ જયાબેન જારીયા,મંત્રી શોનલબેન બારીયા,મંત્રી રંજનબેન મેરા સહિતના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...