મોરબીના બાવરવા પરિવારના આંગણે ભારતની ભાગ્યવંત ભોમકા એવા બરવાળા ગામે બહુચર માં અને શિકોતર માતાજીના માતૃશક્તિના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
મોરબીના બરવાળા ગામે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ ને ગુરુવારના રોજ બહુચર માં અને શિકોતર માતાજીના મંદિરના શિલાપુજન સાંજના ૪:૩૦ કલાકે શ્રી દામજીભગત મહંત શ્રી મંદિર બગથળાવાળા તથા યજમાનશ્રીઓ દ્વારા કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં શ્રી દામજીભગત મહંત શ્રી દ્વારા આશિર્વચન આપવામાં આવશે અને સાંજના ૭:૩૦ કલાકે મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં પધારવા લોકોને બાવરવા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...