મોરબી: મોરબી સી.જી.એસ.ટી વિભાગે લેક્સેસ ગ્રેનાઈટમા તપાસ હાથ ધરી હતી જે તપાસમાં ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીસી. જી.એસ.ટી વિભાગે લેક્સેસ ગ્રેનાઈટમા કાર્યવાહી હાથ ધરી જમા ત્રણ દિવસ તપાસ ચાલી હતી. જે તપાસમાં ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૧૪.૬૬ કરોડની ટેક્સ ચોરી બહાર આવી છે. જેમાં અંડર બિલિંગ અને બિલ વગર માલ નાં માલનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું. જે મામલે સી જી એસ ટી વિભાગે કંપનીના બે ડિરેક્ટર અને એક એકાઉન્ટન્ટ સામે મોરબી કોર્ટમાં સી જી એસ ટી વિભાગે કેસ કર્યો છે. જે કેસ મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં કોર્ટે ત્રણેયનાં જામીન અંગે સુનવણી કરી અને આવતીકાલે જામીન મામલે ચુકાદો સંભળાવશે જેમાં આરોપીના નામ હિતેશ બાબુભાઈ દેત્રોજા અને અનિલ બાબુભાઈ દેત્રોજા બંને કંપનીના ડિરેક્ટર છે તો રાજેશ રણછોડભાઈ દેત્રોજા એકાઉન્ટ છે જે ત્રણેયને સી જી એસ ટી વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે તેમજ વધુ કરચોરી તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ કાર્યવાહી દરમ્યાન સીરામીક ઉદ્યોગપતિઓ અને અને સીરામીક એસોસિયેશનના પ્રમુખ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...