મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ રૂપે અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દર મહિનાની ૧ થી ૫ તારીખની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે. આ કીટમા આશરે ૧૨ ( બાર) વસ્તુઓ આપવામાં આવે છે આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યાં ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે અને તેમાંથી મળેલા દાનનો ઉપયોગ આવા સેવાયજ્ઞમાં કરવામાં આવે છે ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો થકી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...