મોરબી સિવીલ હોસ્પિટલમાં બીમારી સબબ આધેડનું મોત;વાલી વારસની શોધખોળ

મોરબી: મોરબી સરકારી હોસ્પિટલમાં બીમારી સબબ દાખલ થયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તેમના વાલી વારસ અંગે શોધખોળ હાથ ધરી.

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા વનીભાઈ વેલજીભાઈ ઉ.વ.૫૦ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે દાખલ થયેલ હોય તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ જશરીરે પાતળો બાંધો વાને ઘંઉવર્ણો, માથાના ભાગે તથા દાઢીના ભાગે કાળા-સફેદ વાળ છે. જમણા હાથે કલાઈ ઉપર ‘વજીભાઇ વેલ” તથા કૃષ્ણ ભગવાનનું ચિત્ર ત્રોફાવેલ છે. તથા શરીરે જાંબલી કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમના વાલી વારસ અંગે કોઈને જાણ હોય તો એ.એમ. ઝાપડીયા પો.હેડ.કોન્સ, મો.ન.૯૭૧૪૦ ૬૪૪૧૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલી.નં. ૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img