મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મીનાબેન કાવરના માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ 

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવે છે ત્યારે મોરબીના મીનાબેન જલ્પેન્દ્રભાઈ કાવરના માતા સ્વ. શારદાબેન ધનજીભાઈ શેરસીયાનુ તાજેતરમાં અવસાન થતા તેમના દીકરી મીનાબેન જલ્પેન્દ્રભાઈ કાવર, જમાઈ જલ્પેન્દ્રભાઈ મગનભાઈ કાવર તથા ભાણેજ પ્રાચીબેન જલ્પેન્દ્રભાઈ કાવર દ્વારા સદ્ગતનાં સ્મરણાર્થે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.

આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img