Saturday, July 27, 2024

મોરબી: માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ તુલસી પાર્કમાં રહેતા એકતાબેન અતુલભાઈ ભટ્ટ (ઉ.વ.૨૩) એ આરોપી જૈનમભાઈ રાજેશભાઈ મકવાણા (પતિ), કૈલાશબેન રાજેશભાઈ મકવાણા (સાસુ) રહે બંને શ્યામ સોસાયટી પંચાસર રોડ મોરબી તથા હાલ રહે જામનગર રામેશ્વર સીવીલ હોસ્પિટલની બાજુમાં તથા આરોપી જયદીપભાઈ હરદાસભાઈ ગાગીયા રહે. જી.જી. હોસ્પિટલ પાછળ જામનગર વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૪-૨૦૨૩ થી ૦૪-૧૦-૨૦૨૩ દરમ્યાન ફરીયાદીને પતિ તથા સાસુ અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી મારકુટ કરી માવતરના ઘરેથી ઘંધો કરવા પૈસા લઇ આવવા દબાણ કરી મેણાટોણા મારી મારપીટ કરી તેમજ આરોપી જયદીપભાઈ અવાર-નવાર તેના પતિને ખોટી ચડામણી કરતા શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા હોય જેથી ભોગ બનનાર પરણીતા એકતાબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર