મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. મોરબી એલસીબી પોલીસે દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સ્પા માલિક સહિત ત્રણ શખ્સોએ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. જેમાં આરોપી સ્પામાલીક જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા સ્પા સંચાલક ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળાએ પોતાના કબજા ભોગવટા વાળા ઓરલા સ્પામાં આરોપી જાનીસાર ફકીરભાઈ મીરને મદદ માટે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧કિં.રૂ.૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૯,૫૦૦/- સાથે રેઇડ દરમ્યાન આરોપી જાનીસાર ફકીરભાઈ મીર રહે. મોરબીવાળો હાજર મળી આવતા તેને ઝડપી પાડયો હતો તેમજ આરોપી જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળો હાજર નહી મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી પાર્ટ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૭ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...