મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. મોરબી એલસીબી પોલીસે દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સ્પા માલિક સહિત ત્રણ શખ્સોએ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. જેમાં આરોપી સ્પામાલીક જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા સ્પા સંચાલક ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળાએ પોતાના કબજા ભોગવટા વાળા ઓરલા સ્પામાં આરોપી જાનીસાર ફકીરભાઈ મીરને મદદ માટે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧કિં.રૂ.૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૯,૫૦૦/- સાથે રેઇડ દરમ્યાન આરોપી જાનીસાર ફકીરભાઈ મીર રહે. મોરબીવાળો હાજર મળી આવતા તેને ઝડપી પાડયો હતો તેમજ આરોપી જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળો હાજર નહી મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી પાર્ટ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૭ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી), મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા...
ભુલકાઓના ચહેરા પણ આ ઉપહાર મેળવી તાજા ફુલોની જેમ ખીલી ઉઠ્યા.
કોઈ બાળકો જમીન પર બેસી પોતાના લેશન કરી રહ્યા હોય, વાંચી રહ્યા હોય અને શારીરિક માનસિક હતાશા અનુભવી રહ્યા હોય અને તેઓને એકાએક અન્ય સુખી સંપન્ન બાળકો જેવી લખવા વાંચવાની સુવિધા મળી જાય પછી તો ભલા પુછવું જ શું?
આવો...
માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતા બળવંતભાઈ કેશરાભાઇ બારીયા (ઉ.વ.૩૧) નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર માણાબા ગામના તળાવમાં ન્હાવા જતા આકસ્મિક રીતે ડૂબી જતાં...