મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામની ગ્રામ પંચાયતની બોડી તેમજ નાગરીકો ઉપર ગાળા ગામનાં દલીત સમાજના અમુક લોકો દ્વારા અવારનવાર તદન ખોટી અને મનઘડત તથા પાયાવિહોણી ફરીયાદો કરી હેરાન પરેશાન કરવામાં આવતા હોવાથી સમસ્ત ગાળા ગામ દ્વારા મોરબી જીલ્લા કલેકટર અને મોરબી જીલ્લા પોલીસ વડાને કોઈપણ પાયાવિહોણી અને તથ્ય વિનાની ફરીયાદ ન થાય એના માટે લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી તાલુકાના સમસ્ત ગાળા ગામ દ્વારા મોરબી જીલ્લા કલેકટર તથા મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી જણાવવામાં આવ્યું છે કે દલીતભાઈઓ દવારા ગાળા ગ્રામ પંચાયત બોડી તેમજ ગામના નાગરીકો ઉપર અવાર નવાર ખોટી ફરીયાદ કરીને હેરાન કરવામાં આવે છે. અને અવાર નવાર ખોટી એટ્રોસીટી ફરીયાદની ધમકીઓ આપીને ગામ લોકોને પરેશાન કરે છે. જે ગાળા ગામના રસ્તા ઉપર દબાણ કરેલ જે દબાણ જલ્લા પંચાયત કચેરી દ્રારા ડીમોલીશનની કામગી૨ી ક૨વામાં આવેલ. જે અનુસંધાને ગાળા ગામના જ વતની જીતીયા રાહુલ કેશવજીભાઈએ આપની કચેરીમાં તા. ૧૩-૦૭-૨૦૨૩ના રોજ ગાળા ગામના નાગરીકો ઉપર અસ્પૃશ્યતા અને મુળભુત અધીકારોથી વંચીત રાખવા બાબતની અરજી કરેલ છે.
જે તદન ખોટી અને પાયાવીહોણી છે. તો આપને અમો ગાળા ગામના નાગરીકો જણાવીએ છીએ કે અમો ગાળા ગામના નાગરીકો એ કોઈ દીવસ દલીતભાઈઓ ઉપર કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરેલ નથી. અને અમારૂ ગામ એમના કોઈપણ સામાજીક કાર્યમાં સંપુર્ણ સહકાર આપે છે. જેના પુરાવા રૂપે તા.૫-૫-૨૦૨૩ ના રોજ દલીત સમાજ દ્રારા ૧૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા કરવામાં આવેલ હતું તેમા અમારા ગામના સરપંચ તથા ઉધોગપતીઓ દ્રારા જ ફાળો આપેલ હતો. જેના પુરાવા રૂપે લગ્ન કંકોત્રી સામેલ છે. જેમા અમારા ગામના દાતાઓના નામ છે. ત્યાર બાદ અમો ગાળા ગ્રામ પંચાયત ના ૬૫ – માં નાણાપંચની ગ્રાંટમાંથી તેમનું સ્મશાન ઉપર સંરક્ષણ દિવાલ અંગેની ગ્રાંટની રકમ ૨,૦૦,૦૦૦ અંકે રૂપીયા બે લાખ પુરા ફાળવવામાં આવેલ છે.
ત્યારબાદ તેમના દલીતવાસની અંદર પેવર બ્લોકની ગ્રાંટ ૨,૫૦,૦૦૦ની ગ્રાટ પણ ફાળવવામાં આવેલ છે. ત્યારબાદ ગાળા ગામના યુવાનો દ્વારા સ્વચ્છતા અભીયાન ચલાવવામાં આવે છે. તેમા યુવક મંડળ દ્વારા સ્ટ્રીટલાઈટ ગોઠવવામાં આવેલ છે તેનું લાઈટબીલ ગાળા ગામના યુવાનો દ્રારા ચુકવવામાં આવે છે. તો અમો ગાળા ગામના નાગરીકો ને એ સમજાતુ નથી કે રાહુલભાઈ કેશવજીભાઈ જીતીયા દ્રારા અસ્પૃશના અને મુળભુત અધીકારોની અરજી કેમ કરેલ છે. તો આ પાયાવીહોણા અને ખોટા આક્ષેપો શા માટે કરે છે. અને ગાળા ગામના નાગરીકો ને એવો ભય સતાવે છે કે આગળ જતા કોઈપણ પ્રકારની નીમ્ન કક્ષની ફરીયાદો તો નહી કરે ને તેથી ગાળા ગામના વતનીઓની દ્વારા મોરબી જીલ્લા કલેકટર તથા મોરબી જિલ્લા પોલીસ વડાને કોઈપણ તથ્ય વિનાની અને પાયાવિહોણી ફરીયાદ ન થાય એના માટે લેખિત રજુઆત કરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...