મોરબી: ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ૧૭ માર્ચના રોજ કરેલ છે.
સેવા જેનો સ્વભાવ બની ચૂકયો છે તેવા માનવ સેવા એજ પ્રભુ સેવા’એ સૂત્રને સાકાર કરી દેશ બાંધવોની નિઃસ્વાર્થ ભાવે કરેલ સેવા સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે. આપણા સૌને આ સેવાયજ્ઞ હર હંમેશ પ્રજવલીત રહે તેવા શુભ આશયથી મોરબીનગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રો (શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબધન કેન્દ્રો)નો સંયુકત વાર્ષિકોત્સવ કાર્યક્રમનુ આયોજન ડો હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા તા. ૧૭-૦૩-૨૦૨૪ ને રવિવારના રોજ બપોરના ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી મોરબી રાજકોટ હાઇવે પર મારૂતી શો – રૂમની બાજુમાં શક્ત શનાળા પાસે આવેલ શ્રી સરસ્વતી શીશુમંદિર (નવા) મોરબી ખાતે રાખેલ છે. આ કાર્યક્રમમાં પ્રેરક ઉદબોધન નરેન્દ્ર દવે (સૌ.પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ તથા ડો હેડગેવાર સ્મારક ટ્રસ્ટી) આપશે તેમજ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં કાંતિલાલ મેરજા ડો. અર્જુનભાઈ સુવાગીયા , બાબુલાલ અંબાણી તથા જીલેશભાઈ કાલરીયા ઉપસ્થિત રહેશે.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...