મોરબીમા ભારે વરસાદને કારણે સ્થળાંતરિત કરાયેલ લોકો માટે જય અંબે ગ્રૂપ મોરબી દ્વારા રસોડું ચાલુ કરાયું
મોરબી: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારેથી અતિભારે વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં કુદરતી પ્રકોપના કારણે અનેક લોકો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જે સ્થળાંતરિત કરાયેલ લોકો આરામથી જમી શકે તે માટે મોરબીમાં જય અંબે ગ્રુપ દ્વારા રસોડું ચાલુ કરી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હંમેશા મોરબીની પ્રજાના પડખે જય અંબે ગ્રુપ ખડે પગે રહે છે. ત્યારે હરહંમેશની જેમ આજે પણ મોરબીમાં અતિવૃષ્ટિના પ્રકોપના કારણે સ્થળાંતરીત કરેલ લોકોમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા આજે સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે તથા જ્યાંસુધી કુદરતનો આ કહેર બંધના થઈ ત્યાંસુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યોના સુવે તેના સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરી લોકોને જમાડવામાં આવી રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...