મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત અને તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી તારીખ ૨૨ જુને ‘નિઃશુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવેલ છે.
આ મલ્ટી-સ્પેશ્યાલીટી તેમજ સુપર સ્પેશ્યાલીટી મેડિકલ કેમ્પ તારીખ ૨૨-૦૬-૨૦૨૫ ને રવિવાર ના રોજ સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી મોરબીના સામાકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદિર સામે ઝુલતા પુલ પાસે એલ.ઈ. કોલેજ રોડ પર આવેલ મયુર હોસ્પિટલ ખાતે ‘નિઃશુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ’ યોજાશે. આ કેમ્પનું ઉદ્દઘાટન સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવશે.
આ કેમ્પમાં ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટરઓ જુદા-જુદા રોગો માટે નિદાન-સારવાર કરનાર છે, જેનો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
આ કેમ્પમાં બ્લડ પ્રેશર (BP), ઓક્સિજન (SPO.) ડાયાબિટીસ (સુગરની તપાસ) કાર્ડિયોગ્રામ – ECG (ડૉકટરની સલાહ મુજબ)ના રીપોર્ટ પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
નોંધ:-દર્દીઓએ જુના કાગળો ફાઇલ સાથે લાવવાના રહેશે.
દર્દીઓના નામનું રજીસ્ટ્રેશન કરાવવા માટે જશવંતસિંહજી જાડેજા મોં:-૯૭૨૭૨૭૭૭૭૭, નિરૂભા બી. ઝાલા મોં:- ૯૭૨૫૮૫૫૭૭૭, તથા મહેન્દ્રસિંહજી ડી. ઝાલા મોં:- ૯૮૨૫૨૨૨૭૮૭ નંબર પર સંપર્ક કરવો.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...