મોરબી: મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં તા.૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે.
મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાંમાં આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫- ૨૦૨૪ના રોજ દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે જેના અનુસંધાને આજે ભવ્ય વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ મોરબીના દરેક ભક્તિપ્રેમી લોકોને આ મહોત્સવમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ મહોત્સવનુ આયોજન એસ.પી.રોડ ઉપર કરવામાં આવેલ છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...