મોરબી: મોરબીના ખોડા પીપર ગામથી પડાણા રોડ ઉપર અડધો કિલોમીટર આગળ ટ્રેક્ટરરે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. તેમજ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના બીલઝર અજનારીયા ફળીયાના રહેવાસી અને હાલ મોરબીના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં ધનજીભાઇ સવજીભાઈ પનારાની વાડીએ રહેતા અભેસિંહ નવલસિંહ મેડા (ઉ.વ.૩૦) એ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – GJ-24-K-9084 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીએ પોતાના હવાલાનું ટ્રેક્ટર રજીસ્ટ્રેશન નંબર- GJ-24-K-9084 વાળું પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી નીકળી ફરીયાદીના સાઢુના દીકરા દીનેશભાઇ જોરસીંગ મેડા ઉવ-૨૨ વાળાને તેઓના હીરો હોન્ડા ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર- GJ-23-S-1341 વાળા સહીત હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી શરીરે મોઢા,દાઢીના તથા ગળાની જમણી બાજુ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી ટ્રેક્ટર રેઢુ મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના માસાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC- કલમ-૩૦૪ -અ,૨૭૯, MV ACT કલમ- ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...