રક્ષાબંધનના આ શુભ પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલય મોરબી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાહેબની પ્રેરણાથી એક આગવી સૂઝ – બૂઝ સાથે અને કંઈક નવું કરવાના ઉત્કૃષ્ટ ભાવ સાથે જે પર્વની ગરિમાને હંમેશા આત્મસાત કરતી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ચેતના સાથેનો જે આયામ નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ સમગ્ર સ્ટાફ અંતર્ગત એક રાખડી બાંધવાના વિશિષ્ટ આયોગ અને સુયોગ સાથે જે આજરોજ મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનને વધુ પ્રબળ બનાવતા સંસ્કૃતિને ઉજાગર કરી પર્વને સાર્થક કરતા નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ એક અનોખી રીત સાથે આગવી પ્રેરિત ભાવના સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
ત્યાર બાદ PI પંડ્યા સાહેબ તેમજ ASI ભટ્ટી ભાઈ એ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પરના તમામ બનાવોથી વાકેફ કરી FRI થી માંડીને લોકઅપ ને લગતી રોચક માહિતી તેમજ સોશિયલ મીડિયા ક્રાઇમ અંતર્ગત લાઈવ માર્ગદર્શન લક્ષી વક્તવ્ય આપ્યું હતું અને અંતમા વિદ્યાર્થિનીઓને મીઠાઈ અને ચોકલેટ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...