મોરબીમાં ફોટોગ્રાફર એસોસીઓને તેમના પરિવાર સભ્યોના બાળકોના તેજસ્વી તારલા નો સન્માન સમારોહ નાની વાવડી ગામે ફાર્મ હાઉસમાં યોજ્યો હતો
જેમાં અતિથિ વિશેષ પદે ગ્રુપ ઓફ નવયુગના પ્રમુખ પી.ડી. કાંજિયા હાજર રહ્યા હતા. તેમની સાથે મુકેશભાઈ હરખાણી, રાજુભાઈ જીયાણી, શશીભાઇ પટેલ સહિત રાજકોટ થી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા તેમજ સ્થાનિકે રાકેશભાઈ કાવર ચેરમેન તાલુકા પંચાયત મોરબી, વસંતભાઈ પટેલ સહિત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી બાદ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા લહેરાવતા રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. બાદમાં થી લઈ ધોરણ૧ થી ૧૨ ના તેજસ્વી બાળકોનાં સન્માન મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓએ અને યુવતીઓએ રાસ ગરબા નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને પારિવારિક આનંદ માણ્યો હતો. એકંદરે જેન અન્ન ભેગા તેના મન ભેગા તે યુક્તિ અનુસાર તમામ ફોટોગ્રાફર સભ્યો નાં પરીવાર સભ્યોનું અહીં પ્રીતિ ભોજન રાખવામાં આવ્યું હતું તેવું પ્રમુખ નિલેશ દેથરીયાએ જણાવ્યું હતું તેમની સાથે વિનોદ પટેલ, મેહુલ ભટાસણા, પરેશ ચંદ્રાલા, જીતેશ ભાઈ ઉઘરેજા સહિતના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...