Saturday, July 27, 2024

પૂર્વ પરવાનગી વિના સભા/સરઘસ કાઢવા તેમજ ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રતિબંધ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામન્ય ચૂંટણી -૨૦૨૪ જુદા જુદા સાત તબક્કાઓમાં યોજવાનું તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા. ૦૭-૦૫-૨૦૨૪ ણા રોજ મતદાન પૂર્ણ થયેલ છે તેમજ મતગણતરી તા. ૦૪-૦૬-૨૦૨૪ ના યોજાનાર છે. બાકી રહેલ તબક્કાઓનું મતદાન ક્રમશઃ પૂર્ણ થવામાં છે. જે અન્વયે હાલની સ્થિતિએ આદર્શ આચાર આચારસંહિતાની અમલવારી ચાલુમાં છે. આ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણ જળવાઈ રહે અને વિક્ષેપો ઉભા થાય નહી તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના તમામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં તા.૦૬-૦૬-૨૦૨૪ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ ઉપરાંત સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સંબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે તેમજ સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.

આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર