મોરબી તાલુકાના રાજપર ગામે નિરાધાર ગૌ માતાના લાભાર્થે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણનુ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજપર ગામે પૃથ્વીરાજ ચૌહાણ મહાન ઐતિહાસિક નાટક તારીખ -૧૬-૧૦-૨૦૨૩ ને સોમવારના રોજ સમય રાત્રી ૯:૩૦ કલાકે રાજપર ગામ ખાતે નાટક ભજવાશે.
તેમજ ખાસ કોમેડી શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રખ્યાત કોમેડીયન ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી તથા રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો લોકોને પેટ પકડાવીને હસાવશે.
તેથી ધર્મના આ મહાન કાર્યમાં સહભાગી થવા સૌ ગૌ- ભક્ત -દિલેર દાતાઓને સહભાગી થવા પધારવા સમસ્ત રાજપર ગામ તેમજ રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાર્કિંગ વ્યવસ્થા પટેલ સમાજવાડી રાજપર ખાતે રાખેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...