મોરબીમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા કે જાગો કાંતિભાઈ જાગો ત્યાર બાદ કાંતિભાઈ એક વિડીઓ ના માધ્યમ થી પોતે જાગતા હોવાની વાત કરતા હતા.
પણ મોરબીના સનાળા રોડ પર છેલ્લા કેટલાક મહિનાઓ થી ઉભરાતી ગટરની જાણે નદી વહેતી હોય તેમ ગટર ઉભરાઈ રહી છે અને લોકો ને વેપાર ધંધામાં નુકશાની વેઠવી પડી રહી છે તો સાથો સાથ આરોગ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે.
જો ધારાસભ્ય કાંતિભાઈ ખરેખર લોકોના કામ માટે જાગતા હોય તો આ મહિનાઓ થી ગટર ઉભરાઈ રહી છે તે ના ઉભરાવી જોઈ પણ છતાં આ ગટર નદીની જેમ ઉભા રોડે વહી રહી છે.
જો આ ઉભરાતી ગટર બંધ કરાવી અને લોકોને પડતી હાલાકી માંથી બહાર કાઢે તો માની શકાય કે ખરેખર કાંતિભાઈ લોક પ્રશ્નો માટે જાગો રહ્યા છે બાકી વિડીઓ મૂકી ને જાગતા હોવાના દાવા કરવાથી લોકોને પડતી મુશ્કેલી દૂર થવાની નથી તેવું ત્યાંના એક વેપારી આક્રોશ સાથે કહી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...