મોરબી: રાજકોટ-મોરબી હાઈવે ઉપર હળબટીયાળી ગામના પાટીયા નજીક રોડ ઉપર બસે ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ બસ ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ લવજીભાઈ ગઢીયા (ઉ.વ.૩૨) એ આરોપી લકઝરી બસ રજીસ્ટર નં. AR-01-T-8969 નો ચાલક ઘમંડારામ ગોમારામ ગોડારા (ઉ.વ.૩૦ રહે. ખુડલા જી. બાડમેર રાજસ્થાન) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપી લકઝરી ટ્રાવેલ્સ બસ રજીસ્ટર નં. AR- 01-T-8969 ના ચાલકે પોતાના હવાલા વાળી બસ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા લવજીભાઇ ભીમજીભાઇ ગઢીયા ઉ.વ.૫૮ વાળા મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-03-JS-7789 લઇને જતા હતા તેને ઠોકરી મારી અકસ્માત કરી કપાળ તથા મોઢા તથા કમર તથા પેટ તથા ડાબા હાથે કોણીના ભાગે તથા ડાબા પગની એડીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ નોંધી તપાસ હાથ છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...