મોરબીમાં આવતીકાલે તા.૩૦ નવેમ્બર, રવિવારે મફત ‘સ્વાસ્થ્યનું સ્નેહમિલન’ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, વજન નિયંત્રણ અને થાઇરોઇડ વિષયક માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. સીટ્સ મર્યાદિત હોવાથી પૂર્વ નોંધણી આવશ્યક છે.
મોરબી શહેરમાં આવતીકાલે આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી ‘સ્વાસ્થ્યનું સ્નેહમિલન’ શીર્ષક હેઠળ નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને દવા વિના જીવન જીવવા ઇચ્છુક નાગરિકો માટે આ કાર્યક્રમ એક મહત્ત્વપૂર્ણ તક સમાન છે. આ સ્નેહમિલનમાં ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટેરોલ, વજન ઘટાડવા-વધારવા સહિત થાઇરોઇડ જેવી સમસ્યાઓ અંગે નિષ્ણાતો દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે. આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ મોરબીના નાગરિકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે.
આ કાર્યક્રમ ૩૦ નવેમ્બર ૨૦૨૫ રવિવારે સવારે ૯.૩૦ થી બપોરે ૧૧.૩૦ સુધી લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ મેઈન રોડ મોરબી ખાતે યોજાશે. સીમિત સીટ્સને કારણે પૂર્વ નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકોએ તાત્કાલિક ભાવેશભાઈ તવેથીયા મોબાઇલ નં. ૯૦૯૯૪ ૩૫૩૧૨ ઉપર સંપર્ક કરી સીટ રિઝર્વ કરવાની વિનંતી કરવામાં આવી છે. કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન પ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, તેમ યાદીમાં જણાવ્યું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...