મોરબીમાં આવતીકાલે તા.૩૦ નવેમ્બર, રવિવારે મફત ‘સ્વાસ્થ્યનું સ્નેહમિલન’ હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, વજન નિયંત્રણ અને થાઇરોઇડ વિષયક માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. સીટ્સ મર્યાદિત હોવાથી પૂર્વ નોંધણી આવશ્યક છે.
મોરબી શહેરમાં આવતીકાલે આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી ‘સ્વાસ્થ્યનું સ્નેહમિલન’ શીર્ષક હેઠળ નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને દવા વિના જીવન જીવવા ઇચ્છુક નાગરિકો માટે આ કાર્યક્રમ એક મહત્ત્વપૂર્ણ તક સમાન છે. આ સ્નેહમિલનમાં ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટેરોલ, વજન ઘટાડવા-વધારવા સહિત થાઇરોઇડ જેવી સમસ્યાઓ અંગે નિષ્ણાતો દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે. આરોગ્ય પ્રત્યે વધતી જાગૃતિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ મોરબીના નાગરિકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે.
આ કાર્યક્રમ ૩૦ નવેમ્બર ૨૦૨૫ રવિવારે સવારે ૯.૩૦ થી બપોરે ૧૧.૩૦ સુધી લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ મેઈન રોડ મોરબી ખાતે યોજાશે. સીમિત સીટ્સને કારણે પૂર્વ નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે. રસ ધરાવતા નાગરિકોએ તાત્કાલિક ભાવેશભાઈ તવેથીયા મોબાઇલ નં. ૯૦૯૯૪ ૩૫૩૧૨ ઉપર સંપર્ક કરી સીટ રિઝર્વ કરવાની વિનંતી કરવામાં આવી છે. કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન પ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, તેમ યાદીમાં જણાવ્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...