આમ તો સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીનાં દિવા સપનાઓ બતાવી વાહ વાહ ખૂબ લૂંટી રહી છે પણ હકીકતમાં મોરબી નાં લગભગ ઉદ્યોગોના મોટા ભાગના રોડ અત્યંત ખરાબ હાલતમાં છે ખાસ વાત કરીએ તો વાંકાનેર થી થાન જતા રોડ ની હાલત અત્યંત ખરાબ છે
વાકાનેર થી થાન રોડ પર ૨૦ થી વધુ ગામ આવેલ છે તેમજ અનેક સિરામિક અને સેનેટ્રી વેરનાં કારખાનાઓ આવેધ છે ત્યારે આ રોડ પર આવતા ગામના સંરપંચો દ્વારા કલેકટર, મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડની સ્થિતીમા કોઈપણ જાતનો સુધાર આવ્યો નથી આજ પણ આ રોડ બિસ્માર હાલતમાં જ છે.
મળતી માહિતી મુજબ વાકાનેર થી થાન રોડ પર આવેલ વીશ ગામ આવેલ છે જે પૈકી આઠ થી દશ ગામના સંરપંચો દ્વારા વાકાનેર થી થાન જવાનો રોડ રીપેરીંગ કરવા માટે કલેકટર , મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતા આ રોડ ને રીપેરીંગ કરવામાં આવ્યો નથી. વાંકાનેર થી થાન રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે ખરાબ રોડના કારણે અનેક વખતે અકસ્માતો સર્જાય છે. તેમજ આ રોડ પર ઘણા બધા સિરામિકના કારખાનાઓ આવેલ છે જેની સવાર સાંજ ૫૦૦ થી વધુ ગાડીઓ અવર જવર કરે છે તેમજ અન્ય હેવી લોડીંગ વાહનો પણ ચાલતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને ખરાબ રોડ અને ટ્રાફિકના કારણે આ રાડ પર આવતા ગામના લોકો ક્યારેક બીમાર હોય તો સમયસર હોસ્પિટલે પણ પહોંચી શકતા નથી.
સરકાર કામ કરવા બેઠી છે કે જીવ લેવા તે લોકોને સમજાતું નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. રોડ રીપેર કરવાનુ આઘુ રહ્યું પરંતુ રોડ પર ખાડાઓ બરી તેનું સમારકામ પણ કરતા નથી. જ્યારે ચુંટણી હોય ત્યારે જનતાની પરવાહ કરતા નેતાઓ અને સરકાર કેટલી લાપરવાહ છે તે તમે આ રોડની હાલત પરથી જોઈ શકો છો.
આ રોડ પર નાં ઉદ્યોગપતિઓ ને ફેકટરી આવવા જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી થી છે જો સરકાર આ ઉદ્યોગપતિઓ અને લોકોની મુશ્કેલી દૂર કરે અને પ્રાથમિક સુવિધાઓ આપે તો અને તોજ આવા વાઇબ્રન્ટ ગુજરાત મોરબી મોરબીનો ખરો અર્થ રહેશે નહીતો ફકત તાયફાઓ બની ને રહેશે તેવી એક ઉદ્યોગપતિએ ચક્રવાત ન્યુઝ ને વાત કરી હતી
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...