બાળકો માટે વિનામૂલ્યે 25મો આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગર્ભવતી બહેનોને પણ ટીપા પીવડાવવામાં આવશેઆવતીકાલે તા.13ને રવિવારે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 માસથી 12 વર્ષ સુધીના બાળકો તથા પ્રેગ્નન્ટ મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો વિનામૂલ્યે કેમ્પનું આયોજન સોરઠીયા લુહાર જ્ઞાતિ વાળી, સ્વામિનારાયણ મંદિર વાળી શેરી,પુજારા મોબાઈલ વાળી શેરીમાં,શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.
બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.જે કોરોના કે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. પાચનતંત્રમાં સુધારો કરે છે.યાદશક્તિમાં વધારો કરે છે.ગુસ્સો તથા ચીડીચીડીયા પણું ઓછું થાય છે. તેમજ તાવ,શરદી,વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. તેમ યાદીમાં જણાવાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...