આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા ભાજપે કમર કસી છે અને એ માટેની રણનીતિના ભાગરૂપે બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવાની યોજના અંતર્ગત
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા ને 93-ઉના વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે, એ અન્વયે તારીખ 02-06-2022 ના રોજ દેવાધિદેવ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરીને કાંતિભાઇ અમૃતિયાના તા. 03, 04 તથા 05 જૂન એમ ત્રણ દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉના શહેર, ઉના તાલુકો તથા ગીર ગઢડા તાલુકા મંડલના હોદ્દેદારો સાથે ત્રણેય મંડલની કારોબારી બેઠકો ગુજરાત તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના કામોની મુલાકાત, વિવિધ મોરચા સેલની બેઠકો, નગરપાલિકા, તા. પંચા. જિ. પંચા. સદસ્યશ્રીઓ સાથે બેઠકો, આસપાસના ધાર્મિક સ્થળોના દર્શન ઉપરાંત અન્ય ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
ગીર ગઢડા અને ઉના તાલુકા પંચાયતો ઉપરાંત ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન છે આ વિસ્તારમાં આવતી તમામ જિલ્લા પંચાયત બેઠકો ભાજપ હસ્તકની છે. 2019 ની લોકસભામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારને આ વિસ્તારમાંથી 28383 મતની સરસાઇ પ્રાપ્ત થઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ સરસાઈ જળવાઈ રહે અને ઉનામાં ભાજપનો વિજય વાવટો ફરકાય તે માટે કાંતિભાઈ અમૃતિયા પક્ષની યોજના પ્રમાણે પોતાની આગવી ઢબથી કાર્યરત છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...