કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ગાય માતા માટે અવેડા અભિયાન શરૂ કરવામાં આવ્યું

મોરબી માં અબોલ જીવો પશુ પક્ષી માટે સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી માં ગાય માતા માટે ઉનાળા ની ગરમી માં પાણી મળી રહે તેવા ઉમદા હેતુ થી અવેડા અભિયાન શરૂ કરવા માં આવ્યું છે. આ અભિયાન માં જે લોકો ને પોતાના ઘર ઓફિસ બહાર ગાય માતા માટે પાણી ની સગવડ કરવી હોય તો નીચે આપેલી પાણી ની સિમેન્ટ ની ટાંકી મુકાવી સકે છે.
આ ટાકી રાહત દર થી તમારા ઘર સુધી પોહચાડી આપવા નું કામ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કરવા માં આવશે.
આ ટાકી માં 200 લીટર પાણી સમાય સકે છે અને આ ટાકી મૂકવા માટે ની જગ્યા 3 ફૂટ x 2 ફૂટ હોવી જોઇએ.
આ ટાકી ની બજાર કિંમત રૂપિયા 1500 (ભાડા સાથે) થાય છે પરંતુ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ ટાકી ફકત 900 રૂપિયા(ભાડા સાથે) જેવી રાહત કિંમત થી તમારા ઘર સુધી પોહચાડી આપવા માં આવશે.
આ ટાંકી ને સાફ કરવા માટે નીચે નળ ની પણ સુવિધા આપવા માં આવશે જેથી પાણી નીકળી શકે.
તો જે કોઈ ને પોતાના ઘર ઓફિસ ની બહાર આ ટાંકી મૂકવી હોય તો અમને પોતાનું નામ અને એડ્રેસ મેસેજ કરી શેકે છે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર
મો.7574885747

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img