મોરબી : થોડા દિવસો પહેલા જ એક ચેક રીટર્ન કેસમાં આરોપી ને એક વર્ષ ની સાદી કેદની સજા અને ચેક ની બમણી રકમ નો દંડ કરવામાં આવેલ ત્યારે ફરી આજ રોજ મોરબીના ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂ. 4 લાખની ડબલ રકમ રૂ. 8 લાખનો દંડ અને તેમાંથી ફરીયાદીને રૂપીયા 4 લાખ ફરીયાદ દાખલ કર્યાની તારીખથી વસૂલ થતાં સુધી 9 % વ્યાજ સહીત વળતર ચૂકવા કોર્ટે હુકમ કર્યો છે.
કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સીમ્પોલો વીટ્રીફાઇડ પ્રા.લી.ઘૂટું રોડ,મોરબીવાળા પાસેથી આરોપી- રાજયોગ હોમ(ઈન્ડીયા)પ્રા.લી.ના ઓથોરાઇઝડ સેગ્નેચરી સુનિલ ચવાણ રહે- મુંબઈવાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી તેની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા 4,00,000/- વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્ફમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ચીજ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબની કોર્ટમાં વર્ષ 2017ની સાલમાં દાખલ કરેલ હતો.
જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-3-3-2022 ના રોજ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબે આરોપીને રાજયોગ હોમ ઈન્ડીયા પ્રા.લી.ના ઓથોરાઇઝડ સેગ્નેચરી સુનિલ ચવાણને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા 4 લાખના ડબલ રકમ રૂપીયા 8 લાખનો દંડ અને તે દંડમાંથી ફરીયાદીને રૂપીયા 4 લાખ ફરીયાદ દાખલ કર્યા તારીખથી વસૂલ થતાં સુધી 9% વ્યાજ સહીત વળતર ચૂકવવા તથા આરોપી સામે પકડ વોરંટ તથા સજા વોરંટ ઇશ્ય કરવાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયા, તથા બી.કે.ભટ્ટ, રોકાયેલા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...