ટંકારા તાલુકાના વાઘગઢ ગામે હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં હનુમાનજી મંદિરે પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી અને વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા.
વાઘગઢ ગામની શેરીઓના ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી મહર્ષિ દયાનંદ શેરી, સ્વામી વિવેકાનંદ શેરી વગેરે નામકરણ કરવામાં આવ્યા હતા તેમજ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં ખેવના ધરાવતા વડીલો, બહેનો અને માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, છેલ્લા પંદર દિવસથી આખા ગામને રંગરોગાન કરવા આવી રહ્યું હતું જે સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે હોંશે વધાવીને ગામને વ્હાઈટ હાઉસ જેવું બનાવે દીધું છે. આ વ્હાઈટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી મહેન્દ્રભાઈ ભીખાભાઈ બારૈયાએ લીધી હતી અને રંગરોગાન કરવાનો તમામ ખર્ચ આર્ય વિદ્યાલયના પ્રમુખ માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત હનુમાન જયંતિ નિમિત્તે આખા ગામનો મહાપ્રસાદ સવજીભાઈ દેવશીભાઈ બારૈયા દ્વારા યોજવામાં આવ્યો હતો તેમજ ભારતના મહાપુરૂષો પરથી શેરીઓના નામ રાખવા પાછળનો તમામ ખર્ચ કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્રારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યને બિરદાવવા માટે વાઘગઢ ગ્રામ પંચાયતના બિનહરીફ યુવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, ઉપસરપંચ જયેશભાઈ અને પંચાયત બોડી તથા તલાટી મંત્રી શીતલબેન દ્રારા સહયોગ આપનાર અને શ્રમદાન કરનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ, દેવેન્દ્રભાઈ ફેફર અને રમણિકભાઈ વડાવીયા દ્રારા કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...