મોટી સંખ્યામાં જીલ્લાભરમાં થી આમ આદમી પાર્ટીનાં હોદ્દેદારો અને કાર્યકરો વિજય તિરંગા યાત્રામાં જોડાયા હતા.
મોરબી : અહીં આમ આદમી પાર્ટી દ્વારા વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે શહેરના મુખ્ય માર્ગો પર ભારતના તિરંગા અને ડી.જે.ના તાલ સાથે યોજાઈ હતી.પંજાબમાં આમ આદમી પાર્ટી ની ભવ્ય જીત બાદ મોરબી ખાતે ખાતે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી.
જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ યાદવ ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રવિણભાઈ રામ પાર્ટીના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.આ તકે ગુજરાતમાં પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતીથી જિતાડવા કર્યું હતું મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા
આ તકે દિલ્હીના ધારાસભ્યશ્રી નરેશ યાદવ એ જણાવ્યું કે ગુજરાતમાં આપ આવશે તો દિલ્હીની જેમ લોકોના ટેક્સના પૈસા તેમને સ્વાસ્થ્ય શિક્ષા સુવિધા રૂપે પરત આપીશું આ યાત્રા શહેરના ઉમિયા સર્કલ થી શરૂ થઈ મુખ્ય માર્ગો પર ફરી હતી.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...