હળવદ તાલુકામાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ થઇ રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પેપરમીલ બનાવવામાં આવી છે જે પેપરમીલ થી ગ્રામજનોને અતિ દુર્ગંધ સહન કરવી પડતી હોય તેમજ પેપરમીલ ના વેસ્ટ પાણીથી લોકોને ખેતીમાં મા નુકસાન થતું હોવાનું તેમજ નાના બાળકોને તેમજ ગ્રામજનોને ચામડીના રોગ આંખના રોગ જેવા રોગોનો ભયંકર ખતરો સેવાય રહ્યો હોવાની ભીતિ તેમજ ભારે દુર્ગંધથી લોકો ને માથાનો દુખાવો સહન કરવો પડતો હોય છે આવી અનેક સમસ્યાઓને કારણે આજે સમસ્ત સુંદરગઢ ગ્રામજનોએ એકઠા થઈને હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ તારીખ ૧ મે સુધીમાં લોકો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી
આ વેસ્ટ પાણીના કારણે નદીનું પાણી દૂષિત થતું હોય જેના કારણે ખેતીમાં પણ નુકસાન સહન કરવાની ફરજ પડે છે તેમજ આગામી દિવસોમાં જો આમ જ ચાલ્યું તો સમસ્ત ગ્રામજનોએ હિજરત કરવી પડે તેવો ગ્રામજનો નો આક્ષેપ, અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી જો હવે કોઈ નક્કર પરિણામ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
રવિ પરીખ હળવદ
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...