મોરબી કચ્છ હાઈવે પર માળીયા નજીક આવેલ માધવ હોટલે ઉભી રહેલી બસમાંથી કચ્છના રાપરની આંગડીયા પેઢીનો કર્મચારી તેનો રોકડ ભરેલો થેલો સીટ ઉપર મૂકીને ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતરતાં પાછળથી રૂપિયા 62.50 લાખ ભરેલ થેલો અજાણ્યા શખ્સો ઉપાડીને ફરાર થઈ જતાં સનસનાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર પટેલ આંગડીયા પેઢીમાં કામકાજ કરતા મહાદેવ રામભાઈ વાઘમારે (ઉં.વ. 43) આજે સવારે રાપરથી રાપર-મોરબી-રાજકોટ બસમાં બેસીને મોરબી આવતા હતા તે દરમિયાન બસ માળીયા નજીક હાઈવે ઉપર આવેલ માધવ હોટલે ઉભી રહેતા સૌ મુસાફરોની સાથે આંગડીયા પેઢીના કર્મચારી પણ ચા-પાણી પીવા માટે બસ નીચે ઉતર્યા હતા ત્યારે તેઓએ તેમનો કાળા કલરનો થેલો બસની સીટ ઉપર મુકયો હતો અને તે થેલામાં રોકડા રૂ. 62.50 લાખ હતા. આ રોકડ રકમ ભરેલો થેલો લઈને કોઈ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. અધધ રકમ ભરેલ થેલો ચોરી થઈ જતા બસને સવારે સીધી જ માળીયા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ માળીયા સ્થાનિક પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વિધિવત ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવી ગુન્હાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...