ઉમિયા માનવસેવા ટ્રસ્ટ – મોરબી દ્વારા માનવ મંદિર, લજાઈ ખાતે નવા ટ્રસ્ટીઓ અને સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞના સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો.
ઉમિયા માનવસેવા ટ્રસ્ટ દ્વારા મોરબી ખાતે માનવ મંદિરના લાભાર્થે તા. 21 થી 31 મે સુધી અગિયાર દિવસની જ્ઞાન, દાન અને સન્માનની ત્રિવેણી જેવી સંસાર રામાયણ જ્ઞાનકથાનું આયોજન થયેલું. પૂ. સતશ્રીના વ્યાસપીઠે યોજાયેલી આ કથામાં દરરોજ નવ થી દશ હજાર જેટલા શ્રોતાજનો લાભ લેતા હતા.આ વિશાળ આયોજન સુચારુ રીતે પાર પાડવા માટે અઢીસો જેટલા સ્વયંસેવક ભાઈબહેનો સતત સેવારત રહ્યાં હતાં.
સ્વયંસેવકોના આ સેવાકાર્યનું સન્માન કરવા માનવમંદીર લજાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બધાને પ્રમાણપત્ર, પૂ. સતશ્રીની છબી અને હૂંડી અર્પણ કરીને ટ્રસ્ટ પ્રમુખશ્રી પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ મંત્રી પોપટભાઈ ગોઠીએ સન્માન્યા હતા.
તેમજ કથા દરમિયાન આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા 47 જેટલા નવા ટ્રસ્ટીઓનું ઉમિયામાતાના ખેસથી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. કથાસ્થળના યજમાન રવાપરના પૂર્વ સરપંચ ગોપાલભાઈ,જયસુખભાઈ અને રમેશભાઈ કાસુન્દ્રા બંધુઓને સન્માનવામાં આવ્યા હતા.
માનવમંદિરને ઇનોવા કાર અર્પણ કરવા બદલ ઉમિયા નવરાત્રી મંડળ વતી કાર્યકરો અનિલભાઈ વરમોરા અને એમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાનીમોટી ઉપયોગી સેવામાં રોકાયેલા દરેક કાર્યકરોની નોંધ લઈ, સન્માનિત કરાયા હતા. આ સન્માન કાર્યક્રમમાં સાડાચારસોથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સિનિયર ટ્રસ્ટીઓ પૈકી લીંબાભાઈ મસોત, ગોપાલભાઈ કાસુન્દ્રા અને વિઠ્ઠલભાઈ પાંચોટીયા દ્વારા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...