ગત તા. 12 ને રવિવારના રોજ કોડીનાર તાલુકામાં સમાજની ૮ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો શરમજનક બનાવ બન્યો હોય જે બનાવ મામલે મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે
મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આવેદન પાઠવવામાં આવ્યું છે કે ગત તા.12 ને રવિવારના રોજ કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો બન્યો હતો જેમાં દશનામ સમાજની 8 ર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરી મૃતદેહ કોથળામાં ભરીને ગામ બહાર ફેંકી દીધો હતો જે ઘટનામાં ગીર સોમનાથ જીલ્લા એસપી સહિતના અધિકારીઓએ સતર્કતા દાખવી આરોપી શામજી ભીમા સોલંકીને ઝડપી લીધો છે અને કાર્યવાહી શરુ કરી છે ત્યારે આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને આવી ઘટનાઓને અટકાવવા નરાધમ આરોપીઓ વિરુદ્ધ કડક પગલા લેવા જરૂરી છે જેથી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતે નિર્ણય કરી આરોપીને ફાંસીની સજા મળી તે રીતે આરોપી શામજીને પણ ફાંસીની સજા થાય તેવી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે આ આવેદન આપતી વખતે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીના પ્રમુખ તેજસગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી અને ટ્રસ્ટી નિતેષગીરી મનહરગીરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...