ગેરકાયદેસર દબાણો હટાવવાની આગાઉ તંત્ર દ્વારા નોટિસ આપેલી હતી
મોરબી : રોડ પહોળો કરવાની કામગીરી નેં અંતર્ગત મોરબી નગરપાલિકા તંત્ર એ મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલા દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી
મળતી માહિતી મુજબ ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર આજે નગરપાલિકા તંત્ર ગેરકાયદે કાચા-પાકા દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાલિકા તંત્રએ રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ હોય તેવા દબાણોને તંત્રએ તોડી પાડી જગ્યા ખુલ્લી કરી છે.
મોરબીના શનાળા બાયપાસ પર આવેલા ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ સાવ સાંકડો થઈ જતા આ રોડને પહોળો કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર ઘણા સમયથી 30 થી વધુ કાચા પાકા ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હોય ત્યારે રોડને પહોળો કરવા માટે આ દબાણો અવરોધરૂપ હોવાથી પાલિકા તંત્ર દ્વારા દુકાનો, લારી, વાડા સહિતના કાચા પાકા દબાણ કરનાર દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
તંત્રએ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારોએ મચક ન આપતા આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને ગોકુળનગર – લાયન્સનગર મેઈન રોડ ઉપર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં પાંચથી સાત દુકાનો સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. હજુ ગેરકાયદે વાડા સહિતના દબાણો હોય એ દબાણ હટાવ કામગીરી ચાલશે તેમજ નગરપાલિકાના પવડી વિભાગના હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
મોરબી : દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવર્ષિ નારદ જયંતિ નિમિતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આગામી તા.૨૪ને શુક્રવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે શિશુમંદિર શકત શનાળા મોરબી - રાજકોટ મોરબી ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વક્તા...
મોરબી: મોરબીના ખાખરેચી નિવાસી લીલાબેન ધનજીભાઈ સંતોકીનુ તા. ૨૦-૦૫-૨૦૨૪ ના રોજ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
સદૂગતનું બેસણું :તારીખ :- ૨૪-૦૫-૨૦ર૪ શુક્રવાર સમય :- સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સ્થળ :- વૃંદાવન સમાજવાડી- ઘૂંટુ (જુનુ ગામના જાપે) ખાતે રાખેલ છે
...
મોરબી: મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં...