ગેરકાયદેસર દબાણો હટાવવાની આગાઉ તંત્ર દ્વારા નોટિસ આપેલી હતી
મોરબી : રોડ પહોળો કરવાની કામગીરી નેં અંતર્ગત મોરબી નગરપાલિકા તંત્ર એ મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલા દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી
મળતી માહિતી મુજબ ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર આજે નગરપાલિકા તંત્ર ગેરકાયદે કાચા-પાકા દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાલિકા તંત્રએ રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ હોય તેવા દબાણોને તંત્રએ તોડી પાડી જગ્યા ખુલ્લી કરી છે.
મોરબીના શનાળા બાયપાસ પર આવેલા ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ સાવ સાંકડો થઈ જતા આ રોડને પહોળો કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર ઘણા સમયથી 30 થી વધુ કાચા પાકા ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હોય ત્યારે રોડને પહોળો કરવા માટે આ દબાણો અવરોધરૂપ હોવાથી પાલિકા તંત્ર દ્વારા દુકાનો, લારી, વાડા સહિતના કાચા પાકા દબાણ કરનાર દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
તંત્રએ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારોએ મચક ન આપતા આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને ગોકુળનગર – લાયન્સનગર મેઈન રોડ ઉપર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં પાંચથી સાત દુકાનો સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. હજુ ગેરકાયદે વાડા સહિતના દબાણો હોય એ દબાણ હટાવ કામગીરી ચાલશે તેમજ નગરપાલિકાના પવડી વિભાગના હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...