મોરબીની સિવિલ હોસ્પિટલ તેના અણધડ વહિવટ અને બેદરકારી ની ફરીયાદો અવારનવાર સાંભળવા આવતી હોય છે તો બીજી તરફ તબીબો દ્વારા અનેક સરાહનીય સફળ ઓપરેશનો દ્વારા દર્દી ને સાજા કરવા આવતા હોય છે ત્યારે આવી જ એક દર્દી નાં સફળ ઓપરેશનીઘટના સામે આવી છે.
મોરબીની સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન અને તેની ટીમે ૨ વર્ષથી દર્દથી પીડાતા દર્દીની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી હતી ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી માટે મસમોટી રકમ ખર્ચવી પડે છે તે સર્જરી ડોક્ટરોની ટીમે સિવિલમાં કરી દર્દીને રાહત આપી હતી
મોરબીની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષથી પીલોનીડલ સીન્સ નામની બીમારીથી પીડિત દર્દી દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી સિવિલના જનરલ સર્જન ડો. વિમલ દેત્રોજા, તેમની ટીમના ડો. મિતેશ માકડીયા, નિશાબેન દવે, યશ ત્રિવેદી, કિરણ ચૌહાણ, રાહુલ નાયકા, પ્રિયંકા ઇન્દરીયા સહિતની ટીમે દર્દીની limbergflap repair નામની પ્લાસ્ટિક સર્જરી કરી દર્દ નિવારણ કર્યું હતું તેમજ દર્દીના સ્તનમાં ૨૫x ૨૫ સેમીની ફીલોઈડ ટ્યુમર નામની ગ્રંથ ની સફળતાપૂર્વક સર્જરી કરી હતી સિવિલ હોસ્પીટલમાં જ દર્દીની મહત્વની સર્જરી થતા દર્દીને ખાનગી હોસ્પિટલના મોટા ખર્ચમાંથી રાહત મળી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...