મોરબી લાલપર ગામે આગની દુર્ઘટનામાં બે વાછરડા અને એક ગાય ને 1962પશુ હેલ્પલાઇન ટીમે બચાવ્યા

મોરબી : મોરબી પંથકમાં તાજેતરમાં આગ ગામે આગ નોદુર્ઘટનાનાં બનાવો સામે આવી રહ્યા છે

ત્યારે મોરબી નજીક આવેલા લાલપર ગામમાં આગની દુર્ઘટનામાં એક ગાય અને બે વાછરડી આગ ની લપેટમાં આવી ગયા હતા 1962 પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપી જીવતદાન આપવામાં આવ્યું હતું
ગઈકાલે લાલપર મુકામે ભરવાડવાસમાં અચાનક એકાએક આગ લાગી હતી. આ આગનો ભોગ પશુઓ બન્યા હતા. ત્યારે તે જગ્યાએથી પસાર થતી ખીલખીલાટ એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફ દ્વારા 1962 હેલ્પલાઇન નંબર પર કોલ કરતા પશુ હેલ્પલાઇન ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગની દુર્ઘટનામાં એક વાછરડીનું મૃત્યુ થયું હતું. તેમજ એક ગાય અને બે વાછરડી ઘવાયેલી હાલતમાં હતા. તેઓને પશુ હેલ્પલાઇન ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આથી, ત્રણ ગૌમાતાઓના જીવ સારવારથી બચી ગયા હતા. આમ, 1962 હેલ્પલાઇનમાં ફરજ બજાવતા ડો. વિપુલભાઈ કાનાણી અને ડ્રાઈવર પ્રવિણસિંહ વાઘેલા દ્વારા પ્રસંસનીય કામગીરી કરવામાં આવી હતી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img