સમસ્ત હિન્દુ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ નો જન્મ ચૈત્ર માસ ની શુકલ પક્ષ નવમીનાં દિવસે થયો હતો એટલે પુરા ભારત વર્ષમાં ધુમધામ થી રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમીને લઇ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે
મહેન્દ્રનગર જુના ગામનાં ઝાપે સવારે ૦૦:૮ કલાકે હનુમાનજીનાં મંદિરે થી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી શોભાયાત્રા સોસાયટીમાં પ્રવેશ કરશે બાદ મા બપોરના ૧૨ કલાકે જુના ગામનાં ચોક માં શ્રીરામ મંદિરે ખાતે પોંહચી મહાઆરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા નું સમાપન કરવામાં આવશે આ શોભાયાત્રામાં અંદાજે ૩૦ થી વધુ બુલેટ મોટરસાયકલ તેમજ ગાડી અને અન્ય વાહનો સાથે ગામ લોકો જોડાશે તો ગામનાં યુવાનો કેસરી ઝબ્બા અને કેસરી સાફા માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાશે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...