સમસ્ત હિન્દુ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ નો જન્મ ચૈત્ર માસ ની શુકલ પક્ષ નવમીનાં દિવસે થયો હતો એટલે પુરા ભારત વર્ષમાં ધુમધામ થી રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમીને લઇ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે
મહેન્દ્રનગર જુના ગામનાં ઝાપે સવારે ૦૦:૮ કલાકે હનુમાનજીનાં મંદિરે થી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી શોભાયાત્રા સોસાયટીમાં પ્રવેશ કરશે બાદ મા બપોરના ૧૨ કલાકે જુના ગામનાં ચોક માં શ્રીરામ મંદિરે ખાતે પોંહચી મહાઆરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા નું સમાપન કરવામાં આવશે આ શોભાયાત્રામાં અંદાજે ૩૦ થી વધુ બુલેટ મોટરસાયકલ તેમજ ગાડી અને અન્ય વાહનો સાથે ગામ લોકો જોડાશે તો ગામનાં યુવાનો કેસરી ઝબ્બા અને કેસરી સાફા માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાશે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...