મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે અને ગુજરાત ની પ્રજા ની એક આગવી ખુમારી છે
એટલે ગુજરાત માં ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વોર્ડ નંબર 11મા ટિફિન બેઠક યોજાઈ હતી. જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, કે.કે.પરમાર, નીરજભાઈ ભટ્ટ, ચંપકસિંહ રાણા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો અને કાર્યકર્તા મિત્રો વગેરે મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના લક્ષ્મણ ફાર્મ પર ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. ટિફિન બેઠકના ઇન્ચાર્જ, મોરબી શહેર ઉપાધ્યક્ષ વનરાજસિંહ જાડેજા તથા મોરબી શહેર મંત્રી દીપકભાઈ સોમૈયા પણ ઉપસ્થિત હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...