મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે અને ગુજરાત ની પ્રજા ની એક આગવી ખુમારી છે
એટલે ગુજરાત માં ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વોર્ડ નંબર 11મા ટિફિન બેઠક યોજાઈ હતી. જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, કે.કે.પરમાર, નીરજભાઈ ભટ્ટ, ચંપકસિંહ રાણા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો અને કાર્યકર્તા મિત્રો વગેરે મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના લક્ષ્મણ ફાર્મ પર ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. ટિફિન બેઠકના ઇન્ચાર્જ, મોરબી શહેર ઉપાધ્યક્ષ વનરાજસિંહ જાડેજા તથા મોરબી શહેર મંત્રી દીપકભાઈ સોમૈયા પણ ઉપસ્થિત હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...