મોરબીના ધરમપુર અને ટીંબડી ગામની સીમમાં મોટા પ્રમાણમાં ખનીજની ગેરકાયદેસર ચોરી થઈ રહી છે અને આ ખનીજને જમીનમાંથી કાઢવા માટે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે જેના કારણે લોકોના ઘરો ગામમાં રહેતા લોકોના ઘરોમાં તિરાડો પડે છે એટલું જ નહીં, રસ્તા પર કાદવ અને પથ્થરોથી ભરેલા મોટા અને ભારે વાહનોની અવરજવરને કારણે માર્ગ તૂટી જાય છે
અને ખરાબ રીતે નુકસાન થાય છે અને પરિણામે અવાર-નવાર રસ્તા પર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.અને આ ભારે વાહનો અને બ્લાસ્ટીંગના કારણે ગામમાં પ્રદુષણની સાથે અન્ય નુકશાન પણ થાય છે. ખનીજ વિભાગને દેખાતી નથી, આ રીતે તેઓ આંખે પાટા બાંધીને બેઠા છે. ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચુંટણીના દિવસોમા ધારાસભ્યો તેમને જુસ્સો આપીને મત છીનવી લે છે. જ્યારે ધારાસભ્યોને કોઈ કામ કરવાની વાત આવે છે ત્યારે આ ધારાસભ્યો યોગ્ય જવાબ પણ આપતા નથી.જેના કારણે ધરમપુર અને ટીંબડી ગામના 130 લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ ગેરકાયદેસર ખનન અટકાવવા અને આગામી સમયમાં આ ખનીજ ચોરી બંધ કરી નવી લીઝ મંજૂર કરતી વખતે ધરમપુર ગ્રામ પંચાયતનો અભિપ્રાય લેવો એવી રજુઆત કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...