મોરબીમાં આજ અખાત્રીજ નાં રોજ બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન પરશુરામ દાદાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ પરશુરામધામ ખાતે રાસોત્સવ યોજાયો હતો જેમાં ભૂદેવો રાસ ગરબે ઘૂમ્યા હતા અને રાત્રીના કેક કાપીને ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતી ઉજવી હતી
તેમજ આજે અખાત્રીજના પાવન પર્વે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે શોભાયાત્રા શહેરના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરવામાં આવી હતી જે વાજતે ગાજતે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને નવલખી રોડ પરના પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં બ્રહ્મસમાજ દ્વારા મહાઆરતી યોજાઈ હતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું શોભાયાત્રા સહિતના ધાર્મિક મહોત્સવમાં બ્રહ્મસમાજના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...