મોરબીમાં મહિલા સામાજિક કાર્યકર દ્વારા બિનવારસી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો

કોરોના મહામારી નાં કપરાં સમયે સિવીલ હોસ્પીટલમાં અનેક સરાહનીય કામગીરી કરનાર મહિલા સામાજિક કાર્યકર તેમની સામાજિક સેવાઓ ની સુવાસ ફેલાવી હર હંમેશ લોકો ની મદદરૂપ થતાં રહે છે

ત્યારે મોરબીમાં બિનવારસી વૃદ્ધના મૃતદેહ મળી આવ્યો હોય જેના કોઈ વારસદાર ન મળતા પંચમુખી ટ્રસ્ટ અને મહિલા સામાજિક કાર્યકર દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવી હતી તા.30-4-2022ના રોજ તાલુકા મથકમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોય અને વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવતા મળી આવ્યા ન હતા તેમજ 5 દિવસ બાદ હિન્દૂ વિધિથી બિનવારસી બોડીને તા.5ના રોજ સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી હતી. આમ મોરબીમાં વૃદ્ધના બિનવારસી મૃતદેહને અગ્નિદાહ અપાયો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img